વાયુ વાવાઝોડાની સાવચેતી રૂપે આજે મોરબીનું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે

- text


 

વાંકાનેર અને હળવદનું માર્કેટીંગ યાર્ડ પણ બંધ રહે તેવી સંભાવના

મોરબી : સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલે વાયુ વાવાઝોડાની અસર થવાની સંભાવના છે તેથી સાવચેતીના ભાગરૂપે આજે મોરબીનું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.

- text

મોરબી જિલ્લામાં આજે વાયુ વવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જોકે આ કુદરતી આપતીને પહોંચી વળવા માટે રાહત અને બચાવની કામગીરી માટે વિવિધ સરકારી તંત્ર એક્શન મોડ ઉપર છે અને યુદ્ધના ધોરણે આ કામગીરી કરી રહ્યું છે.ત્યારે સાવચેતીના ભાગરૂપે આજે મોરબીનું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.તેમજ વાંકાનેર અને હળવદનું માર્કેટીંગ યાર્ડ બંધ રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

- text