મોરબીમા જલારામ મંદીર દ્વારા છાશ વિતરણ કરાયું

- text


મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા આજે રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ દરમિયાન વિનામૂલ્યે ઠંડી છાશ નુ વિતરણ કરવામા આવ્યુ હતું.

ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના તાપમાનમા સતત વધારો થઈ રહ્યો છે. મોરબી શહેર પણ તેમા બાકાત નથી. સુર્ય નારાયણ કોપાયમાન થયા છે. ત્યારે શહેરીજનોને ઠંડક આપવાના હેતુસર યોજાયેલ આ છાસ વિતરણના કાર્યક્રમમા બહોળી સંખ્યામા શહેરીજનોએ લાભ લીધો હતો. આ તકે ગીરીશ ભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, કાજલબેન ચંડીભમર, હીતેશ જાની સહીતના સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text