ટંકારા : ગણેશપર ગામે દિવંગતને શ્રદ્ધાંજલી આપવા 1 હજાર ચકલીના માળાનું વિતરણ કરાયું

- text


ટંકારા : ટંકારાના ગણેશપરના ગૌસેવા યુવક મંડળના સેવાભાવી દિવંગતની સ્મૃતિમાં વિવિધ જગ્યાએ 1 હજાર જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મિત્ર મંડળ ગ્રુપે પરોપકારી દિવગતની સમાજ સેવાને ખરા અર્થમાં દીપાવીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

ટંકારાના ગણેશપર ગામે બજરંગ ગૉસેવા યુવક મંડળ ગણેશપર તથા સ્વ.દિવ્યેશભાઈના મિત્ર મંડળ ગ્રુપ દ્વારા દિવંગત દિવ્યેશભાઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દિવંગત દિવ્યેશભાઈ ગણેશભાઈ ભાગીયાને શ્રદ્ધાંજલી આપવા માટે વિવિધ જગ્યાએ 1 હજાર જેટલા ચકલીના માળાનું વિતરણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. હાલમાં ચકલીઓની સંખ્યા ઉતરોતર ઘટી રહી છે.ત્યારે ચકલી બચાવવા માટે વિવિધ સંગઠનો કાર્યરત છે.જોકે દિવંગત દિવ્યેશભાઈએ પણ જીવનભર સમાજસેવા અને રાષ્ટ્ ભાવના અખડીત રાખી હતી.ત્યારે આ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા તેમની પરોપકારી ભાવનાને દીપવીને સાચા અર્થમાં તેમને અંજલિ આપી હતી. સેવાભાવી યુવાન દિવ્યેશભાઈ ગણેશભાઈ ભાગીયાનું તાજેતરમા રાજકોટ ખાતે ગેરેજમાં લિફ્ટ માથે પડતા મૃત્યુ થયું હતું.

- text

- text