- text
વાંકાનેર : સુરતમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે વાંકાનેરમા ચાલતા ૯ ખાનગી ટ્યુશનોનું નગરપાલિકા દ્વારા આવતીકાલે શનિવારે ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે.
- text
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે પાલિકાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૯ ખાનગી ક્લાસિસનું ચેકીંગ કરશે. આ ક્લાસિસમાં જો ફાયર સેફટી સહિતની સુવિધા નહિ હોય તો તેને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- text