મોરબી રેડિયોમાં આજે સાંભળો ડો. સતીશ પટેલને

- text


ડોક્ટર અને લેખક એવા ડો. સતીશ પટેલ સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ડો. સતીશ પટેલ, કે જે વ્યવસાયે ડોક્ટર છે અને સાથે લેખન એમનો રસનો વિષય છે, તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આ માટે દરરોજ અત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આજે આ શોમાં ડો. સતીશ પટેલ મહેમાન બનવાના છે. નોંધનીય છે, ડો. સતીશ પટેલ એક ડોક્ટર હોવાની સાથે સાથે એક સારા લેખક તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. આવતીકાલે એસ.એસ.સી. નું પરિણામ જાહેર થવાનું છે, તેના અનુસંધાને રિઝલ્ટ જીવનમાં કેટલું મહત્વનું છે તથા આ રિઝલ્ટ બાબતે માતા-પિતા તથા આસપાસના લોકોનું કેવું વલણ હોય છે તથા કેવું વલણ હોવું જોઈએ, એ બાબતે જાણકારી મેળવવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text