લલિભાઈ કગથરાના પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓએ હાજરી આપી

- text


 

મોરબી : લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલના આકસ્મિક નિધન બાદ આજ રોજ સવારે યોજાયેલી અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિપક્ષ નેતા પરેશનભાઈ ધાનાણી સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

- text

ટંકારા -પડધરીના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું ગઈકાલે પશ્ચિમ બંગાળ ખાતે અકસ્માતમા મૃત્યુ થયું હતું. બાદમાં આજે તેઓના રાજકોટ ખાતેના નિવાસ સ્થાને અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વિપક્ષ નેતા પરેશભાઈ ધનાણી તેમજ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ લલિતભાઈ કગથરા સાથે પારિવારિક સંબંધ હોવાનું જણાવીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

- text