- text
ટંકારા : હડમતીયા સ્થિત શ્રી નકલંકધામ મંદિરે પાંચમા પાટોત્સવ નિમિત્તે આજે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં પરસોતમ પરી બાપુ (ભજન આરાધક), વિજયભાઈ ગઢવી (ભજન આરાધક) તથા અશ્વિનભાઈ બરાસરા (લોક સાહિત્યકાર) સહિતના કલાકારો ભજનોની રમઝટ બોલાવશે. તારીખ 18/5/2019ને શનિવારે રાત્રે 9:00 કલાકે આયોજિત આ ભવ્ય સંતવાણીમાં પધારવા તેમજ પાંચમા પાટોત્સવ નિમિત્તે આ દિવસે જ સાંજે 6:30 કલાકે આયોજિત મહા પ્રસાદનો લાભ લેવા માટે પરમ પૂજ્ય ગુરુ શ્રી મેહુલ દાસબાપુ તથા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજે જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text