માળિયાના ખાખરેચી નજીક કેનાલમાં ડૂબી જવાથી સગીરનુ મોત

- text


 

માળિયા : માળિયાના ખાખરેચી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સગીર કોઈ કારણસર ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢી પી.એમ.માટે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- text

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તરફ થી આવતી નર્મદા કેનાલમાં માળિયાના ખાખરેચી ગામ નજીક નવઘણ વામભાઈ ભોજી નામનો સગીર અચાનક કોઈ કારણસર ડૂબી ગયો હતો અને કેનાલના પાણીમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં માળિયા પોલીસ સ્ટાફ અને સ્થાનિક તરવૈયા દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો.બાદમાં પી.એમ.માટે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે એડી નોંધી આપઘાત છે કે અકસ્માત તે અંગે તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ એએસઆઇ સી.પી.ઝાલા ચલાવી રહ્યા છે.

- text