વાંકાનેરના રાતાવિરડા ગામની પરિણીતાનું દાઝી જતા મોત

- text


 

ટંકારા સીએચસીના તબીબે માનવતા નેવે મુકી પીએમ ન કરવું પડે તે માટે મૃતદેહને મોરબી સિવીલ હોસ્પિટલમાં મોકલી દીધો

વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા ગામની પરિણીતા ગંભીર રીતે દાઝી જતા તેનું મોત નીપજ્યું છે. વધુમાં આ પરિણીતાના મૃતદેહનો પીએમ ન કરવો પડે તે માટે ટંકારા સીએચસીના તબીબે મૃતદેહને મોરબી સિવીલ હોસ્પિટલમાં મોકલી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા મોધીબેન નાથાભાઈ ગોલતર (ઉ.૨૦) પોતાના ધરે અગ્રમ્ય કારણોસર દાઝી જતાં આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ જ્યાંથી પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેઓનું મોત નિપજ્યું હતું.મૃતકનો લગ્ન ગાળો દોઢ વર્ષ નો છે. અને સંતાન નથી. બનાવ દરમિયાન પરિણીતાના મૃતદેહને પ્રથમ ટંકારા સીએચસીમાં ખસેડવામા આવ્યો હતો. પરંતુ ત્યાં ના ફરજ પરના ડોકટરે માનવતા નેવે મુકી મૃતદેહનો પીએમ ન કરવું પડે તે માટે મોરબી સિવીલ હોસ્પિટલમાં મૃતદેહને મોકલી દીધો હતો.

- text