કુતરાનો આતંક : મોરબીમાં 7ને હડકાયુ અને 13ને સાદા કૂતરાએ બચકા ભર્યા

- text


 

એક જ દિવસમાં 20 લોકોને કૂતરું કરડયું

મોરબી : મોરબીમાં કુતરાઓએ રીતસરનો આંતક મચાવ્યો હોય તેમ આજે હડકાયા કૂતરાએ 6 બાળકો સહિત સાત લોકોને બચકા ભર્યા હતા.આ ઉપરાંત મોરબી અને વાંકાનેરમાં મળીને કુલ 13 લોકોને એક જ દિવસમાં સાદું કૂતરુ કરડયું હતું. આ તમામને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર ઓમ શાંતિ પાર્કમાં હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો અને બે બાળકોને બચકા ભર્યા હતા. તેમજ વાવડી રોડ ઉપર જ કૂતરાએ અન્ય બે બાળકો પણ બચકા ભર્યા હતા આ રીતે .મોરબીમાં હડકાયું કૂતરું છ બાળકો સહિત સાતને કરડયું હતું.જેમો વાવડી રોડ કબીર આશ્રમની બાજુમાં આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા ત્રણ બાળકો બંસી મ્યુરભાઈ ઉ.વ.7, મંદની મહેશભાઈ ઉ.વ.11, જૈનીલ સંદીપભાઈ ઉ.વ.6, શનાળા રોડ પર રાતળિયાની વાડીમાં રહેતા પ્રિન્સ નરેશભાઈ , વાવડી રોડ પર રહેતા પ્રીતમ તુલસીભાઈ, વકાનરના આણંદપર ગામે રહેતા રાજવીર રણજીત ભાઈ ઉ.વ.3 હરેશ ચંદ્રકાન્ત શાહ 24 રહે મહાવીર સોસાયટી વાળાને હડકાયું કૂતરું કરડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તે સિવાય આજના દિવસે 13 વ્યક્તિને સાદું કૂતરું કરડયું હતું.

- text