- text
મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે એક સગીરાનું અપહરણ થયું હોવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ૯ શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે પાણી ભરવા ગયેલી સગીરાનું અપહરણ થયા હોવાની તેના પિતા મતીયાસ જોહરે કટારાએ ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે અપહરણ કરનાર સુરેશ મગલીયા નીનામા, રાકેશ મંગલીયા નીનામા, મુકેશ મંગલીયા નીનામા, મંગલીયા નીનામા, પાનુભાઈ, રાજિયા નાનામાલુમ, રેખા મુકેશભાઈ નીનામા, સુનીતા રાકેશ નીનામા અને બાબુ રામા નીનામા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text