- text
માળિયા : માળિયાના નાની બરાર ગામે એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે માળિયા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયાના નાની બરાર ગામમાં રહેતા અરજણભાઈ દેવરાજભાઈ આહીર (ઉ.વ.૪૦)એ આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા માળિયા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવક માનિસક બીમારીથી પીડાતો હોય તેથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે તપાસ આદરી છે.
- text