સરતાનપર રોડ પર હત્યા : પોલીસે તપાસ શરૂ કરી

- text


વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે પર સરતાનપર રોડ પર શ્રમિક યુવાનની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સરતાનપર રોડ પરના મંદિર નજીક એક શ્રમિકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લાશનું નિરીક્ષણ કરતા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન મુન્ના ચોબે મૂળ બિહારનો રહેવાસી છે. જેનું ગળું કાપી હત્યા કરવામાં આવી છે. જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે. હાલમાં હત્યા ક્યાં કારણોસર થઇ છે તે સ્પષ્ટ બન્યું નથી. હત્યાના બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાના બનાવની અંગે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text