માટેલની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ધો.8ની છાત્રાઓને ભાવભેર વિદાય અપાઈ

- text


 

ધો.8ની વિધાર્થીનીઓને આગળ અભ્યાસ માટે મોડેલ સ્કૂલમાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરાઈ

વાંકાનેર : વાંકાનેરના માટેલ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિધાલયની ધો.8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં ધો.8ની વિધાર્થીનિઓને ભાવભેર વિદાય આપી ઉજ્જવળ કારકિર્દીનું શુભેચ્છા આપી હતી.

- text

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેલ મુકામે ધોરણ 8ની બાલિકા ઓનો વિદાય અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સાહેબ અને તેમની ટીમ એજયુકેશન મોરબીના માર્ગદર્શન મુજબ યોજવામાં આવ્યો હતો.ધોરણ 8 પાસ કરનાર દીકારીઓને અને તેના વાલીને વધુ અભ્યાસ માટે વાંકાનેર મોડેલ સ્કૂલમાં પ્રવેશની માહિતી આપી દીકારીઓના પ્રવેશ ફોર્મ ભરીને મોડેલ સ્કૂલના પ્રવેશની કાર્યવાહી કરવામાં આવી હતી.કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેલની દરેક બાલિકાઓને વૉલેટની ભેટ આપવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે માટેલ સી. આર. સી.કો. ઓરડીનેટર ઇરફાનભાઈ શેરસિયા, વોર્ડન કમ ટીચર સરિતાબેન તેમજ સમગ્ર સ્ટાફે ખૂબજ મહેનત ઉઠાવી હતી. બહોળી સંખ્યામાં માં વાલીગણ સાથે સવરૂચી ભોજન લઈને વેકેશન ની મજા માણવા સૌ છુટા પડ્યા હતા.

- text