વાંકાનેરના જાલસીકા ગામે હોલ માતાજીના મંદિર નવરંગો માંડવો અને ભવ્ય સંતવાણીનું આયોજન

- text


વૈશાખી બીજ મહોત્સવનું આયોજન : રાજભા ગઢવી અને મીરાબેન આહીર સંતવાણીની રમઝટ બોલાવશે

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલ સુપ્રસિદ્ધ હોલ માતાજીના મંદિરે વૈશાખી બીજ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં આવતીકાલે તારીખ ૫-૫-૨૦૧૯ રવિવારે માતાજીનો નવરંગો માંડવો રાવળદેવ ચંદુભાઈ જોધપરવાળા પોતાના સાજિંદા સાથે રમઝટ બોલાવશે તેમજ તારીખ ૬-૫-૨૦૧૯ સોમવારે સાંજે ૯:૦૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજભા ગઢવી (ગીરનો સાવજ) અને મીરાબેન આહીર (લોકગાયિકા) પોતાની આગવી શૈલીમાં સંતવાણીનો રસ પીરસસે સ્ટેજ સંચાલકમાં ભાનુભાઇ ડાંગર પોતાની સેવા આપશે.

શ્રી હોલમાતાજી મંદીર ટ્રસ્ટ તરફથી બીજ મહોત્સવના માંડવામાં અને ભવ્ય સંતવાણીમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે સાથોસાથ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text