વાંકાનેરમાં આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

- text


ભીંડોરા પરિવારનું તારીખ ૨૭-૪-૧૯ શનિવાર થી તારીખ ૪-૫-૧૯ શનિવાર સુધી કથાનું આયોજન : વ્યાસપીઠ પર બટુક મહારાજ (નવીનચંદ્ર શાસ્ત્રીજી) બિરાજશે

- text

વાંકાનેર : વાંકાનેરમાં ભીંડોરા પરિવાર દ્વારા આવતીકાલ તારીખ ૨૭-૪-૧૯ શનિવાર થી તારીખ ૪-૫-૧૯ શનિવાર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત કથામાં વ્યાસપીઠ પર દેરડીકુંભાજીના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય બટુક મહારાજ (નવીનચંદ્ર શાસ્ત્રીજી) બિરાજી ધુન-ભજન, કિર્તન, શ્લોકના જ્ઞાનથી સંગીતમય કથા જ્ઞાનગંગાનું રસપાન કરાવશે. કથા સમય સવારે ૯ કલાકથી ૧૨ કલાક સુધી અને બપોરે ૩ કલાકથી ૬ કલાક સુધી “ભાગીરથી ધામ” રાજવીર ભગવાનજી ખુશાલચંદ લોહાણા મહાજન વાડી, વાંકાનેર ખાતે રાખેલ છે. વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં કથાશ્રવણ માટે આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text