- text
મોરબી : હનુમાન જયંતિ નિમિતે કષ્ટભંજન હનુમાનજી મંદિર, રવાપર રોડ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ તારીખ ૧૮/૪/૧૯ને ગુરુવારે રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાની ગોપાલ મારાજ નામી કલાકારના અવાઝમાં સાજીંદા ગ્રુપ સાથે બુમ સાઉન્ડના સંગાથે ભજનો અને દુહા છંદની રમઝટ બોલાવશે. હનુમાન જ્યંતિના દિવસે તારીખ ૧૯/૪/૨૦૧૯ને શુક્રવારે વહેલી સવારથી ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ ગવાશે. સાંજે ૫:૩૦ કલાકે બટુક ભોજન શરૂ થશે. ધ્વજા રોહણ તથા મહા આરતી સાંજે ૬:૩૦ કલાકે યોજાશે. કષ્ટભંજન હનુમાનજી મંદિર, બજરંગ સોસાયટી, રામકો બંગલોઝ સામે, કેનાલની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે આયોજિત આ કાર્યક્રમના આયોજક શ્રી બજરંગ યુવક મંડળે ભાવિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text