મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીમાં પરણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.આ બનાવની મોરબી એ ડિવિજમ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના મોમ્સ હોટલની પાસે રામજી મંદિર નજીક આવેલ ગજરાની વાડીમાં રહેતી આશાબેન હર્ષદભાઈ નકુમ ઉ.વ.26 નામની પરણીતાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.બાદમાં તેણીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી પરણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

- text