મોરબી રેડિયોમાં આજે સાંભળો સમાજસેવી પોપટભાઈ કગથરાને

- text


મહેમાનો ઓ વ્હાલા શોમાં ‘ઉમિયા માનવસેવા ટ્રસ્ટ’ના પ્રમુખ પોપટભાઈ કગથરા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં સમાજ તથા ગરીબોની સેવા માટે જાણીતા એવા ‘ઉમિયા માનવસેવા ટ્રસ્ટ’ના પ્રમુખ પોપટભાઈ કાગથરા સાથે મોરબી રેડિયોના આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબી શહેરનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. આ માધ્યમથી અલગ અલગ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા સમાજમાં યોગદાન આપનાર પ્રતિભાઓ વિષે જાણકારી મેળવીને તેમના કાર્યોથી લોકો પ્રોત્સાહિત થાય તે માટે દરરોજ રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે રાત્રે જાણીતા સમાજસેવી પોપટભાઈ કગથરા મહેમાન બનશે. અત્રે નોંધનીય છે, કે તેઓએ પોતાની તલાટી કમ મંત્રીની ધમધમતી નોકરીમાંથી માનવસેવા કરવા માટે રાજીનામુ આપી દીધું. તે કહે છે કે તેમને હંમેશા વિચાર આવતો કે સંપન્નના સૌ, જયારે ગરીબોનું કોઈ નહીં. આથી માત્ર માનવસેવા ખાતર, જયારે આજે લોકો સરકારી નોકરી મેળવવા પડાપડી કરે છે, એવા સમયમાં સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપીને ‘ઉમિયા માનવસેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરી. આજે મોરબી રેડિયોમાં તેમની સાથે આર. જે. રવિના સીધા સંવાદમાં તેમના જીવનને લગતી રોચક વાતો સાંભળવા માટે આજે રાત્રે 9 વાગ્યે મોરબી રેડિયો સાંભળવાનું ચૂકશો નહીં. આ ઉપરાંત આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે.

- text