મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે સાંભળો વોઇસ ઓફ રફી પ્રવીણકુમારને

- text


મહેમાનો ઓ વ્હાલા શોમાં રફીનો મખમલી અવાજ ધરાવતા જામનગરના પ્રવિણકુમાર સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ‘વોઇસ ઓફ રફી’ તરીકે જાણીતા જામનગરના પ્રવિણકુમાર સાથે મોરબી રેડિયોના આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબી શહેરનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. આ રેડિયો માધ્યમથી અલગ અલગ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા યોગદાન આપનાર પ્રતિભાઓ વિશે માહિતી મેળવી તેમના કાર્યોથી લોકો પ્રોત્સાહિત થાય તે માટે દરરોજ રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે રાત્રે સંગીતના માધ્યમથી પોતાની કારકિર્દી બનાવનાર અને દેશ-વિદેશમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર મહેનતુ અને શ્રેષ્ઠ ગાયક કલાકાર અને જામનગરનું ગૌરવ ગણાતા એવા ‘વોઇસ ઓફ રફી’ તરીકે ઓળખાતા પ્રવીણકુમાર મહેમાન બનશે. તેઓએ ભારતના અનેક શહેરોમાં પોતાની ઓળખ ઉભી કરી છે. યુ ટ્યુબમાં હાલ તેમની ચેનલના 13 હજારથી વધુ સબસ્ક્રાઈબર છે. એવું કહેવાય છે, કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અને કદાચ ભારતભરમાં ભાગ્યે જ કોઈ વોઇસ ઓફ રફી હશે જેને યુ ટ્યુબ પર આટલો બહોળો પ્રતિસાદ મળ્યો હોય. આખા ભારતમાં તેઓ લગભગ 800થી પણ વધારે મ્યુઝિકલ પ્રોગ્રામ કરી ચુક્યા છે અને 2 ફિલ્મોમાં પ્લે બેક પણ આપ્યું છે. જામનગરમાં તેઓએ આર ફેક્ટર ઈવેન્ટ્સના માધ્યમથી અનેક જાજરમાન મ્યુઝિકલ પ્રોગ્રામ કર્યા છે. દર વર્ષે નવરાત્રી માટે પોતાનુંય આર ફેક્ટર ગ્રુપ લઈને સાઉથ આફ્રિકા તથા ઇસ્ટ આફ્રિકામાં ધૂમ મચાવે છે. આજે મોરબી રેડીઓમાં તેમની સાથે આર. જે રવિના સીધા સંવાદમાં તેમના જીવન તથા કારકિર્દીને લગતી રોચક વાતો સાંભળવા માટે આજે રાત્રે 9 વાગ્યે મોરબી રેડિયો સાંભળવાનું ચૂકશો નહીં. ઉપરાંત આ કાર્યક્રમ આવતીકાલે ગુરુવારે સવારે ૧૧ થી ૧૨ દરમિયાન રિપીટ પણ થવાનો છે.

- text