મોરબીમાં અબોલ જીવ પ્રત્યેની માણસોની હેવાનીયત સામે આવી

- text


મોરબી : બે દિવસ પહેલા મોરબીના મહેન્દ્રપરા ચોક પાસે કોઈ અજાણ્યા નરાધામોએ રાક્ષસને પણ શરમાવે એવા અધમ કૃત્યને અંજામ આપ્યો હતો. જેમાં બે શ્વાન સાથે હેવાનીયત આચરી હતી. આ કૃત્યમાં બે શખ્સ દ્વારા બે શ્વાનો પર પેટ્રોલ જેવા પદાર્થ ફેંકી જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં બે પૈકી એક શ્વાન ઘટના સ્થળ પર જ બળીને રાખ થઈ ગયુ હતું જ્યારે બીજું શ્વાન સળગતું હતું ત્યારે આસપાસના લોકો દ્વારા તેને પાણી છાંટી ઠારવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને સારવાર અર્થે સેવાભાવી સંસ્થામાં મોકલવામાં આવ્યું હતું જેનું બીજા દિવસે મૃત્યુ થયું હતું.

મોરબીમાં અબોલ જીવ પ્રત્યેની આવી હેવાનીયતથી સઘળા જીવદયા પ્રેમી ધ્રુજી ઉઠ્યા છે ત્યારે એ નરાધમો કોણ હતા અને શા કારણે તેઓએ આવી હીચકારી ઘટનાને અંજામ આપ્યો તે માહિતી હજુ જાણવા મળી નથી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text