- text
મોરબી : મોરબીની નીલકંઠ વિધાલયના બે વિધાર્થીઓની સૌથી અઘરી પરીક્ષા પ્રખરતા શોધ કસોટીમાં પાંસદગી થઈ છે.જેમાં તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સૌથી અઘરી પરીક્ષા પ્રખરતા શોધ કસોટી લેવામાં આવી હતી.આ પરીક્ષાના મેરીટમાં રાજ્યમાંથી 1 હજાર વિધાર્થીઓ પસંદ થયા છે.આ 1 હજાર વિધાર્થીઓમાંથી મોરબીની નીલકંઠ વિદ્યાલયના બે છાત્રોની પંસદગી થઈ છે.જેમાં નીલકંઠ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધ્રુવી તુષારભાઈ પોપટએ 98.92 પીઆર સાથે 35મો મેરીટ રેન્ક તથા વૃતિક નરેન્દ્રભાઈ અધારાએ 98.59 પીઆર સાથે 38મો મેરીટ રેન્ક મેળવીને પોતાની સ્કૂલનું નામ રોશન કર્યું છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text