માટેલ નજીક કારખાનામાં પાણીની કુંડી સાફ કરતી વેળાએ ગૂંગળાઈ જતા શ્રમિકનું મોત

- text


 

વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ એક કારખાનામા પાણીની કુંડી સાફ કરતી વેળાએ ગૂંગળાઇ જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકામાં માટેલ ગામ નજીક સનરાજ મિનરલ કારખાનામાં પાણીની કુંડી સાફ કરતા પંકજકુમાર વિરસિંગ બોળીયાનું ગૂંગળાઇ જતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text