મોરબીમા ઝેરી ખોરાક ખાવાથી ૧૦થી વધુ શ્વાનના મોત

- text


મોરબી : મોરબીમાં ઝેરી ખોરાક ખાવાથી ૧૦ થી વધુ શ્વાનના મોત નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે. કોઈ આવારા તત્વો દ્વારા ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવીને શ્વાનને આપવામાં આવ્યો હોય જે આરોગવાથી શ્વાનના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.

- text

સુત્રોમાંથી મળતી વિગત પ્રમાણે આજ સવારના સમયે મોરબીના ધરમપુર રોડ પર લાભ નગર સોસાયટીની બાજુમાં આવેલી વાડીમાં કોઈ આવારા તત્વો દ્વારા ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવી કૂતરાઓને ખવડાવતા ત્યાં રહેલા નાના નાના ગલૂડિયાં સહિત ૧૦ થી વધારે શ્વાનના મોત નીપજ્યા હતા.આ સાથે ત્યાંના રહેવાસી વિજયભાઈએ જણાવ્યું હતું કે કોઈએ ઝેરી પદાર્થ ભોજનમાં આપતા કૂતરાઓના મોત નીપજ્યા છે. એક સાથે દસ થી વધુ કૂતરાઓના મોત થતાં પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text