મોરબી : વીટીવી ન્યુઝ ચેનલનો કાર્યક્રમ મહામંથન મોરબીથી લાઇવ કરશે ઇસુદાન ગઢવી

- text


લાઈવ કાર્યક્રમમાં હાજર રહી ડીબેટનો હિસ્સો બનવા માટે જાહેર આમંત્રણ

મોરબી : વી.ટીવી. ન્યુઝ ચેનલના હેડ ઇસુદાનભાઈ ગઢવી આગામી તારીખ 28 માર્ચને ગુરુવારના રોજ મોરબીથી વી.ટીવી ન્યૂઝનો ખ્યાતનામ કાર્યક્રમ “મહામંથન” લાઈવ કરનાર છે.

આ કાર્યક્રમમાં લાઈવ ડિબેટ દ્વારા ખેડૂતો, યુવાનો, શિક્ષિત બેરોજગારો અને મહિલાઓના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમા હાજર રહી જાહેર જનતા એમના પ્રશ્ન રજૂ કરી શકશે. વી.ટીવીના મોરબીના રિપોર્ટર હરનિશ જોશીએ જાહેર જનતાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહી આપનો અવાજ ચેનલના માધ્યમથી અન્ય લોકો તેમજ તંત્રવાહકો સુધી પહોંચે તે માટે આમંત્રણ પાઠવ્યું છે.
તારીખ : 28/03/2019
સમય : સાંજે 6:30 થી 9:00
સ્થળ : આનંદ ફાર્મ, રાજપર રોડ, મોરબી

વધુ માહિતી માટે મો.નં. 9099907143 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text