મોરબીના સેવાભાવીઓ ઉત્તરાખંડ જઈને શહીદોના પરિવારોને સહાય અર્પણ કરશે

- text


ઉત્તરાખંડ બાદ રાજસ્થાન જઈને ત્યા રહેતા શહીદોના પરિવારોને પણ સહાય અર્પણ કરાશે : સહાય અર્પણ કરવાની બાકી હોય તેવી સંસ્થાઓને યાત્રામાં જોડાવાની અપીલ

મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના સેવાભાવીઓ ઉત્તરાખંડ જઈને આગામી તા. ૨૭ના રોજ શહીદોના ૯ પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરવાના છે. ત્યારબાદ તેઓ રાજસ્થાન ખાતે જઈને ત્યાં વસતા શહીદોના પરિવારોને પણ સહાય અર્પણ કરવાના છે. જે સંસ્થાઓએ સહાય અર્પણ ન કરી હોય તેઓને આ યાત્રામાં જોડાવાની અપીલ પણ કરવામાં આવી છે.

તાજેતરમાં પુલવામાં હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોના લાભાર્થે અજયભાઈ લોરીયા સહિતના સેવાભાવીઓએ મોરબીમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે નવા બસ સ્ટેન્ડ પાસે મંડપ નાખીને નગરજનો પાસેથી ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો હતો. આ એકત્ર કરેલ ફાળાની રકમ શહીદોના પરિવારોને હાથોહાથ અર્પણ કરવા માટે સેવાભાવી આગેવાન અજયભાઈ લોરીયા અને તેની ટીમ ઉત્તરાખંડ જવાની છે.

- text

તેઓ ૨૭મીએ ઉત્તરાખંડ પહોંચીને ત્યાં વસતા શહીદોના ૯ પરિવારોને રૂબરૂ મળીને સહાય અર્પણ કરશે. ત્યારબાદ આગામી દિવસોમાં તેઓ આ જ રીતે રાજસ્થાન જઈને ત્યાં વસતા શહીદોના પરિવારોને પણ સહાય અર્પણ કરવાના છે.

જે સંસ્થાઓએ શહીદોના પરિવારો માટે સહાય એકત્ર કરી હોય અને હજુ સુધી સહાય અર્પણ ન કરી હોય તેવી સંસ્થાઓ કે સેવાભાવી આગેવાનોને આ સેવા યાત્રામાં જોડાવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત આ સેવા યાત્રાની તમામ વ્યવસ્થા પણ કરી આપવામા આવનાર છે. જે સંસ્થાઓ આ સેવાયાત્રામાં જોડાવા ઇચ્છતી હોય તેઓને અજયભાઈ લોરીયા મો.નં. 9913433333 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text