મોરબીમાં મજુરી કામ બાબતે શ્રમિકો વચ્ચે બઘડાટી : બેને ઇજા

- text


મોરબી : મોરબીના લાલપર ગામે આવેલા સીરામીક કારખાનામાં મજુરી કામ બાબતે મજૂરો વચ્ચે બાઘડાટી બોલી ગઈ હતી.જેમાં બે મજૂરોને ઇજા પહોંચી હતી.તાલુકા પોલીસે એક મજૂરની ફરિયાદ પરથી અન્ય ત્રણ મજુર સામે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે આવેલ નાઇસ સીરામીક કારખનાની ઓરડીમાં રહીને મજુરી કામ કરતા લવકેશકુમાર ઉફે મોંજેલાલ મોતીલાલ શર્માએ તેજ સીરામીક કારખાનામાં કામ કરતા સુખદેવસિંહ દરબાર, માંગીલાલ આદિવાસી તથા એક અજાણ્યો મજુર સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા 15ના રોજ કારખાનામાં મજુરી કામ ઉપર ચડવા બાબતે આ ત્રણેય આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદી તથા અન્ય એક મજૂરને માર માર્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text