મોરબી : દિવ્યાંગ મુસાફરને ચાલુ બસે પેરાલિસીસનો હુમલો આવ્યો

- text


મોરબી : મોરબી નજીક ચાલુ બસે એક દિવ્યાંગ મુસાફરને પેરાલિસિસનો હુમલો આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે નોંધ કરીને દિવ્યાંગ મુસાફરની ઓળખ મેળવવા માટે તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી- રાજકોટ હાઇવે પર જીજે ૧૮ ઝેડ ૪૪૯૮ નંબરની રાજકોટ- મોરબી ઈન્ટરસીટી બસમાં કનુભાઈ તળસીભાઈ નામના દિવ્યાંગ મુસાફરને ચાલુ બસે પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેથી તુરંત તેઓને ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે નોંધ કરીને દિવ્યાંગ મુસાફરના વાલી વારસની શોધખોળ આદરી છે.

- text

 

 

- text