- text
મોરબી : મોરબી નજીક ચાલુ બસે એક દિવ્યાંગ મુસાફરને પેરાલિસિસનો હુમલો આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે નોંધ કરીને દિવ્યાંગ મુસાફરની ઓળખ મેળવવા માટે તપાસ આદરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી- રાજકોટ હાઇવે પર જીજે ૧૮ ઝેડ ૪૪૯૮ નંબરની રાજકોટ- મોરબી ઈન્ટરસીટી બસમાં કનુભાઈ તળસીભાઈ નામના દિવ્યાંગ મુસાફરને ચાલુ બસે પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેથી તુરંત તેઓને ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે નોંધ કરીને દિવ્યાંગ મુસાફરના વાલી વારસની શોધખોળ આદરી છે.
- text
- text