માળિયાના નંદનવન ગામે ૩૦મીએ રામદેવપીર મહારાજનું આખ્યાન

- text


મહાપ્રસાદ અને રામામંડળના કાર્યક્રમનું પણ આયોજન

માળિયા : માળિયાના નંદનવન ગામે આગામી તા. ૩૦ના રોજ રામદેવપીર મહારાજના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મહાપ્રસાદ તેમજ રામામંડળનો કાર્યક્રમ પણ યોજાનાર છે.

માળિયા તાલુકાના નંદનવન ( દેરાળા) ગામે તા. ૩૦ને શનિવારના રોજ જખવાડા હનુમાનજી મંદિરના લાભાર્થે ખોડિયાર મા રામામંડળ જેતપરના રામદેવપીર મહારાજના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે ૬ કલાકે મહાપ્રસાદ પણ યોજાશે. ઉપરાંત રાત્રે ૯ કલાકે રામામંડળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવિકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text