મોરબીના રંગપર ગામે આજથી શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણ

- text


મોરબી : મોરબીના રંગપર ગામે આજથી આગામી ૨૮મી સુધી શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે શાસ્ત્રી શ્રીજી સ્વામી પોતાના સુમધુર કંઠે કથાનું રસપાન કરાવવાના છે.

આજ રોજ કથા પ્રારંભે સવારે પોથીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દરરોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તેમજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ દરમિયાન કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આગામી તા. ૨૫ના રોજ ખીમજીભાઈ ભરવાડનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. બાદમાં તા. ૨૬ના રોજ જૈમીન દવેનો લોકડાયરો યોજાશે. તા. ૨૭ના રોજ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text