મોરબીના સરકારી ક્વાર્ટરમા આગ લાગી : ઘર વખરી બળીને ખાખ

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પરના સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રાત્રીના સમયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જો કે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની થઈ ન હતી.

મોરબીના લીલાપર રોડ પર આવેલ સરકારી ક્વાર્ટરમાં રાત્રીના આગ લાગી હતી. જે આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી. જોકે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોય જેથી જાનહાની થઈ ન હતી. આવાસ યોજનાના એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના જયપાલસિંહ, સલીમભાઈ અને પ્રીતેશ નગવાડિયા સહિતની ટીમે ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. આ આગ શોર્ટ સર્કિટ થી થઈ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text