મોરબી : ખોડિયાર માતાના રથ સાથે મોરબી થી માટેલ પદયાત્રા

- text


મોરબી : નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા મોરબી થી માટેલ સુધીની પદયાત્રાનું આયોજન આજે રાત્રે કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ખોડિયાર માતાજીના રથને સંગાથે યોજવામાં આવી છે. બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે આઈ શ્રી ખોડિયાર મંદિર, દરબાર ગઢ ચોંક, મોરબી ખાતેથી રથ સાથેની પદયાત્રાનું પ્રસ્થાન થશે. ગુરુવારે ધુળેટીના દિવસે માટેલ ધામના દર્શન કરવાનો અમૂલ્ય લ્હાવો લેવા આ પદયાત્રામાં સામેલ થવા નવાડેલા રોડ મિત્ર મંડળે ધર્મપ્રેમી જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે મો.નં ૯૮૨૫૬ ૨૦૪૧૨ તેમજ ૯૮૨૫૨ ૩૩૮૯૯ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text