મોરબી રાજપુત સમાજ દ્વારા મહાનુભાવોનું સન્માન કરાયુ

- text


મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા ટાઉન હોલ ખાતે સમાજના મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી રાજપૂત સમાજ દ્વારા ટાઉનહોલ ખાતે સમાજના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતર ગુજરાત સરકારમાં નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા, માંડવી – મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા, માજી ધારાસભ્ય લિબડી કિરીટસિંહજી રાણા, અનીરૂદ્ધસિંહ જાડેજા (રિબડા)સમાજના અગ્રણીનું પુષ્પગુચ્છ, સ્મૃતિભેટ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

- text

સમાજના મહાનુભાવોના આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text