વાંકાનેર: હશનપર ગામે વાડામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાક એક ભેંસનું મોત

- text


વાંકાનેર : રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ હસનપર ગામે આજે બપોરના સમયે પશુ માટેના ઘાંસચારો રાખવાના વાળા માં અચાનક આગ લાગતાં વાડામાં રહેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ વાળાની બાજુમાં બાંધેલી એક ભેંસ દાઝી જતા તેમનું પણ મોત થયું છે.

મળેલ માહિતી મુજબ આજે બપોરના સમયે હસનપરમાં નીશાળની બાજુમાં આવેલ વાળામાં આગ લાગી હતી તેમની જાણ થતાં આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને પાણીનું ટેન્કર મંગાવીને આગ ઓલવવાની ભારે મથામણ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં વાળામાં રહેલ તમામ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. વાળામાં બાંધેલ એક ભેંસનું પણ દાઝી જવાથી મોત થયું છે. નગરપાલિકાના ફાયર ફાઈટર ઉપર વીજળી પડતા ફાયરફાયટર બળીને ભસ્મીભૂત થઇ ગયું હતું, એક મીની ફાયર ફાઈટર જેનાથી કામ ચલાવવામાં આવે છે અને પરિણામે આવા બનાવો વખતે જાનહાનિ કે ભારે નુકસાન રોકી શકાતી નથી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text