વાંકાનેરમાં પ્રેમીપંખીડાઓએ કરેલ આત્મહત્યાનો પ્રયાસ

- text


શાપરની ત્યકતા અને વાંકાનેરના યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

વાંકાનેરમાં આવેલા આરોગ્યનગરમાં શાપરની ત્યકતા અને આરોગ્યનગરના પરીણીત યુવાને સમાજ એક નહીં થવા દે તેવા ડરની એસીડ પી અગ્નીસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા પ્રેમીપંખીડાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા આફતાબ રસુલભાઇ ખોખર (ઉ.વ.30) અને શાપરમાં રહેતી હેતલબેન પ્રવિણભાઇ વાઘેલા (ઉ.વ.28) નામની ત્યકતાએ વાંકાનેરમાં અલ્ફતાબ ખોખરના ઘરે એસિડ પી પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા બંને પ્રેમીપંખીડાને બેભાન હાલતમાં વાંકાનેર બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક પુછતાછમાં શાપરની હેતલ વાઘેલાના આઠેક વર્ષ પૂર્વે ધોરાજીમાં લગ્ન થયા હતા. હેતલ વાઘેલાએ લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. છેલ્લા એકાદ વર્ષથી રીસામણે બેઠેલી હેતલ વાઘેલાના ત્રણેક માસ પૂર્વે છુટાછેડા થયા હતા. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા આફતાબ શાપરમાં મટનની દુકાન ચલાવે છે. આફતાબ ખોખર અને હેતલ વાઘેલા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. હેતલ વાઘેલા પરીવારને કારખાને કામ કરવા જવાનું કહી વાંકાનેર પ્રેમી આફતાબ ખોખરના ઘરે પહોચી હતી. સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આફતાબ પણ ત્રણ સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ આદરી છે. વાંકાનેરમાં પ્રેમીપંખીડાએ પરીવાર એક નહીં થવા દેવાની બીકે એસીડ પી અગ્નીસ્નાન કરી લીધું હતું.

- text

યુવક પરીણીત અને ત્રણ સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્યકતાને આગલા ઘરના એક છોકરો અને એક છોકરી છે. ત્યકતાના બંને સંતાનો તેના દાદા-દાદી પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text