ટંકારા પીએસઆઇ તરીકે એ.બી.જાડેજા મુકાયા

- text


યુવા અધિકારી ગુન્હેગારો માટે ખારા અને પ્રજા માટે સારા

ટંકારા : ટંકારા પીએસઆઇ તરીકે મોરબીથી યુવા અને કડક અધિકારી એવા એ.બી.જાડેજાની નિમણુંક થતા ગુન્હાખોરી કાબુમાં આવવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.

ટંકારા પી.એસ.આઇ. ચૌધરીની બદલી બાદ થાણા અધિકારી તરીકે મુળ જામનગરના અને હાલ મોરબીમા ફરજ બજાવતા એ.બી.જાડેજાને મુકવામાં આવ્યા છે, આ પુર્વ તેઓ અમદાવાદ અને મોરબી ખાતે નોકરી કરી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ને ધર દબોચી કાયદો અને વ્યવસ્થા સારી રીતે નિભાવી ચુક્યા છે, આજે તેઓએ ટંકારા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળેલ છે.

- text

જો કે, ટંકારામા વધતા ચોરીના બનાવો અધીકારી માટે પડકારરૂપ છે સાથે થોડા સમય પહેલાં જ દયાનંદ સરસ્વતી ચોક ખાતે આવેલી જુની પોલીસ ચોકી શરૂ કરવાની વેપારીઓ, મહીલા અને શહેરીજનોની માગણીને ન્યાય અપાવવાની પણ તંત્રની જવાબદારી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text