વાંકાનેર : બે શિક્ષકોની બદલીના વિરોધમાં અરણીટીંબા પ્રા. શાળાને તાળાબંધી

- text


વાંકાનેર : અરણીટીંબા પ્રાથમિક શાળામાં ગત આઠ માર્ચના રોજ શ્રી વાલાસર પ્રાથમિક શાળામાંથી બે શિક્ષકોનું ઓપી થયેલ જે શિક્ષકોએ સ્વેચ્છાએ અરણીટીંબા શાળા કેમ્પ પસંદ કર્યું હતું. તા 8 માર્ચના રોજ શાળાના સમય દરમ્યાન આ બંને શિક્ષકો હાજર પણ થઈ ગયા હતા. ત્યારે જ તાલુકામાંથી એક અન્ય ઓર્ડર દ્વારા આ શિક્ષકોને તા.11 માર્ચના રોજ છુટ્ટા કરીને વાલાસણ ખાતે રીલિવરમાં હાજર થવા માટે જણાવાયું હતું. આ બાબતની જાણ થતાં ગામના સરપંચ તેમજ વાલી મંડળે આ બાબતનો વિરોધ કરીને શાળાને તાળાબંધી કરી હતી. અને બન્ને શિક્ષકોની પહેલા થયેલી નિયુક્તિને કાયમ રાખવા ઉગ્ર માંગણી કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text