મોરબીમાં શનિવારે પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદનો રાસ ગરબાનો કાર્યક્રમ

- text


પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટનું પ્રેરણાદાયી આયોજન

મોરબી : મોરબીના પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી શનિવારના રોજ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદના રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ ગરબાના કાર્યક્રમમાં પધારવા માટે જાહેર જનતાને નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રુપનો ઉત્સાહ વધારવા માટે એક રાસ-ગરબાનું આયોજન કરેલ છે. સમાજને અનેરી રાહ ચીંધવાનું અનેરૂ કામ પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. નેત્રહીન ભાઇઓ-બહેનો પોતાના પગભર થઈ શકે એ હેતુથી
રાસ-ગરબાના કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશીપ પાસે,
મોરબી-૨ ખાતે આગામી તા. ૧૬ને શનિવારના રોજ રાત્રીના ૯ થી ૧૨ દરમિયાન યોજાનાર છે. નેત્રહીન ભાઇઓ-બહેનો લગ્ન ગીત તથા દાંડીયારાસના પોગ્રામ આપી પોતાના પગભર થઈ શકે તેવા હેતુથી આ ગ્રુપ ચલાવવામાં આવે છે. ત્યારે દરેક શુભ પ્રસંગમાં આ
ગ્રુપને બોલાવી ગ્રુપનો ઉત્સાહ વધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દાંડિયારાસના કાર્યક્રમમાં સહભાગી બનવા પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text