વાંકાનેરમાં ઠાકોર સમાજનો પાંચમો સમૂહલગ્ન યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં આજે તા. ૧૦ને રવિવારે ઠાકોર સમાજનો સમૂહલગ્ન યોજાયો. જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આ પાંચમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં બહોળી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપેલ.

જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આજે વેલનાથ દાદા મંદિર , આઇ.ટી.આઇની બાજુમાં રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ સાત નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડેલ. નવદંપતીઓને લગ્ન વિધિ માટે વાંકાનેરના પ્રખ્યાત શાસ્ત્રીજી મુકેશભાઈ વી. મહેતાએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જેન્તીભાઇ ઉઘરેજા, ઉપપ્રમુખ રમેશભાઈ કણજરીયા, મહામંત્રી ભગવાનજીભાઈ પરમાર સહિત જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટિમે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

 

- text