મોરબી : એક જ પરિવાર દ્વારા સ્વખર્ચે દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્નનું આયોજન

- text


મોરબી ના કેરાળા ગામે યોજાશે સમૂહ લગ્ન : એક પણ રૂપિયા નો ચાર્જ લીધા વગર દીકરીઓ ને કર્યાવર માં ચીજવસ્તુઓ દાગીના સહિત ભેટ આપશે આયોજક

મોરબી ના કેરાળા (હરિપર) મુકામે નવલગીરી નથુગીરી ગોસ્વામી પરિવાર દ્વારા પોતાના જ સ્વખર્ચે દશનામ ગોસ્વામી સમાજ ના સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવદંપતિ પરિવાર પાસે એકપણ રૂપિયા નો ચાર્જ લીધા વગર દીકરીઓ ને કર્યાવર માં દાગીના થી માંડી જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ પોતાના જ પરિવાર દ્વારા આપવાનો નિર્ણય કરી સમગ્ર સૌરાષ્ટ્ર કરછ ગુજરાત માં દશનામ ગોસ્વામી સમાજ માં એક પ્રેરણાદાય સેવાનું ભગીરથ કાર્ય નું આયોજન કરાયું છે. જેને મોરબી દશનામ ગોસ્વામી સમાજે આવકાર્યું છે.

- text

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના નાનકડા એવા કેરાળા (હરિપર) ગામે રહેતા નવલગીરી નથુગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તા ૧૨/૦૫/૨૦૧૯ ના રોજ કેરાળા (હરિપર) ગામે દશનામ ગોસ્વામી સમાજ ના સમૂહલગ્ન નું ભવ્ય આયોજન કરાયું છે. આ સમૂહલગ્ન નો સંપૂર્ણ ખર્ચ આ એક જ પરિવાર દ્વારા આપવામાં આવશે.જેમાં નવદંપતિ પરિવાર પાસે એકપણ રૂપિયા નો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ વધુ માં નવલગીરી ગોસ્વામી પરિવાર દ્વારા જ દીકરીઓ ને કર્યાવર તેના તરફથી આપવામાં આવશે. જેમાં દાગીના થી માંડી જીવન જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્ન માં જોડાવવા ઇરછતા યુવક યુવતી ના વાલીઓ એ તા ૨૦/૦૪ ૨૦૧૯ સુધી માં તેના જરૂરી આધાર પુરાવા સાથે નામ નોંધણી કરાવી લેવા રસિકગીરી નવલગીરી ગોસ્વામી મો.૯૯૨૫૭ ૪૩૦૬૪,૯૮૨૪૭ ૪૩૦૬૪,પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે.

- text