બાર બોરના જીવતા કારતુસ સાથે કુખ્યાત શખ્સને ઝડપી લેતી એસઓજી

- text


 

અગાઉ મર્ડર કેસમાં સાબરમતી જેલની હવા ખાઈ ચુકેલ શખ્સ હળવદથી ઝડપાયો

મોરબી : મોરબી એસઓજી ટીમે આજે હળવદથી કુખ્યાત શખસને બાર બોરના પાંચ જીવતા કારતુસ અને છ લીટર દેશીદારૂ સાથે ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી એસઓજી ટીમે આજે હળવદના પંચમુખી ઢોરા નજીક આવેલી સુનિલ સોસાયટીમાંથી નવલસિંહ ભગવતસિંહ ઝાલા, ઉ.૫૨ વાળાને પાસ પરવાના વગર બાર બોર બંદૂકના પાંચ જીવતા કારતુસ અને છ લીટર દેશીદારૂ સાથે પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી નવલસિંહ અગાઉ મર્ડર કેસમાં સાબરમતી જેલની હવા ખાઈ ચુક્યો છે અને અગાઉ હથિયાર ધારા કેસમાં પણ આવી ગયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ4 મકવાણા, જયપાલસિંહ ઝાલા, ઈશ્વરભાઈ ક્લોતરા, પો.કો.ભરતસિંહ ડાભી, મહિલા લોક રક્ષક પ્રિયંકાબેન પૈજા સહિતનાઓએ કરી હતી.

- text

- text