ટંકારાના લજાઈમા ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે મહાપ્રસાદ યોજાયો

- text


ટંકારા : ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે ભગવાન વિશેષ શિવના પૂજન અર્ચન સાથે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથ મંદિરે આજે મહાશિવરાત્રી પર્વે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકોએ અહીં મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે ભગવાન શિવનું વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદમા ઉપસ્થિત રહીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text