મોરબી : પાટીદાર સમાજના છાત્રો માટે કાલે રવિવારે વિનામૂલ્યે સેમિનાર

- text


મોરબી : પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી પાટીદાર ધામ દ્વારા આવતીકાલે તા. ૩ને રવિવારના રોજ સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી ખાતે પાટીદાર સમાજના યુવાનો માટે વિનામૂલ્યે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પાટીદાર સમાજના યુવાનોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

પાટીદારધામ આયોજિત પાટીદાર સમાજ માટેના ફ્રી સેમીનારમાં જીપીએસસીના ઉમેદવારો માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને કોચિંગ ક્લાસની વ્યવસ્થા, બિન અનામત આયોગની યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મળતી સહાય અને સરકારની યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.સાથોસાથ મોરબી જીલ્લાના દરેક ગામ દીઠ પાંચ સભ્યોની સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સમિતિમાં જોડાવવા માટે પાટીદાર ધામ પરથી પાટીદાર સમાજના યુવાનોને ફોર્મ મેળવી લેવા તથા પાટીદાર સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે યોજાનાર આ સેમીનારમાં યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહેવા સંસ્થાના અગ્રણી કિરીટભાઈ દેકાવડીયા અને તેની ટીમેં અનુરોધ કર્યો છે.

- text

- text