મોરબી નજીક યુવાનને માર મારી બાવળમાં ફેંકી દીધો : લૂંટની ચર્ચા

- text


 

વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક બે દિવસ પહેલા પરપ્રાંતીય યુવાનને ત્રણ-ચાર અજાણ્યા શખ્સોએ માર મારીને બાવળમાં ફેંકી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ યુવાન પાસેથી લૂંટ ચલાવવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. જ્યારે યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

- text

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઓરિસ્સાનો વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલા સીરામીક કારખાનામાં મજુરી કામ કરતો શંકરભાઇ બારીયલભાઈ આદિવાસી ઉ.વ.30 નામનો યુવાન ગત તા.27ના રોજ રાત્રીના સમયે રફાળેશ્વર ગામ નજીક પાવર હાઉસ પાસે હતો.તે સમયે ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ આ યુવાનને માર મારીને ત્યાં બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. આ બનાવની જાણ થતાં 108ની ટીમે ત્યાં દોડી જઈને યુવાનને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે આ બનાવમાં એવી ચર્ચા થઈ રહી છે કે, યુવાનને ત્રણથી ચાર શખ્સોએ માર મારી લૂંટ ચલાવીને ત્યાં જ બાવળમાં ફેકીને ફરાર થઈ ગયા હતા. જોકે કેટલી રકમની લૂંટ થઈ છે તે અંગે સતાવાર વિગતો મળી નથી. ત્યારે આ યુવાનને લૂંટના ઇરાદે માર માર્યો કે અન્ય કોઈ અંગત અદાવત કારણભૂત છે તે અંગે મોરબી તાલુકા પી.એસ.આઇ.ગઢવીએ જણાવ્યું હતું કે યુવાન હજુ સારવારમાં હોય તેની પાસે આ બનાવની નક્કર હકીકતો જાણવા મળી નથી તે સ્વસ્થ થઈ ગયા બાદ આ બનાવની ફરિયાદ નોંધાશે તેવું તેમણે જણાવ્યું હતું.

- text