મોરબીના વિસ્તરણ અધિકારીની ટીડીઓના પ્રમોશન સાથે બદલી

- text


હળવદમા ખાલી પડેલી ટીડીઓની જગ્યા પર સુરેન્દ્રનગરના વિસ્તરણ અધિકારીને મુકાયા

મોરબી : મોરબીના વિસ્તરણ અધિકારીની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. આ સાથે હળવદમા ખાલી પડેલી ટીડીઓની જગ્યા પર સુરેન્દ્રનગરના વિસ્તરણ અધિકારીને મુકવામાં આવ્યા છે.

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ગ ૩ના ૪૧ કર્મચારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એચ. એરવાડિયાને સુરેન્દ્રનગરના દસાડા-પાટિયામા ટીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે હળવદમા ખાલી પડેલી ટીડીઓની જગ્યા ઉપર સુરેન્દ્રનગરના વિસ્તરણ અધિકારી બી.એન. રાવલને મુકવામા આવ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text