મોરબી : સર્જીકલ એર સ્ટ્રાઈક બદલ ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રૂપ

- text


નગરદરવાજા ચોક ખાતે આતશબાજી સાથે લોકોના મો મીઠા કરાવાયા

મોરબી : ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ સર્જીકલ એર સ્ટ્રાઈક બદલ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ઉજવણી કરવામા આવી હતી. આ તકે લોકોના મો મીઠા કરાવી તેમજ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાએ આજે વહેલી સવારે પીઓકેમાં પ્રવેશીને આતંકીઓના અડ્ડા પર હવાઈ હુમલો કરી ૨૦૦ થી ૩૦૦ આતંકીઓને ફૂંકી મારીને પુલવામાં ખાતે થયેલા હુમલાનો બદલો લીધો છે. ત્યારે વાયુસેના દ્વારા કરવામાં આવેલ સર્જીકલ એર સ્ટ્રાઈક બદલ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપે ઉજવણી કરી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ નગર દરવાજા ચોકમાં આતશબાજી સાથે લોકોના મો મીઠા કરાવ્યા હતા.

- text

પુલવામાં ખાતે થયેલા આંતકવાદી હુમલામાં શહીદ વીરોને સાચી વિરાંજલી આપવા બદલ તથા ઈટ કા જવાબ પથ્થરથી આપવા બદલ યંગ ઇન્ડિયા ગ્રૂપે ભારતીય સેનાને ભારતમાતાના જયઘોષથી અભિનંદન અર્પણ કર્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text