શહીદ જવાનોને વાંકાનેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

- text


વાંકાનેર : તા.૧૪/રના રોજ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના વીર જવાનો પર બર્બરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ઠેરઠેર આક્રોશ જોવા મળ્યો હતો. દેશના જુદાજુદા શહેરોમાં રાષ્ટ્રપ્રેમ સાથે કેન્ડલ માર્ચથી શ્રધ્ધાંજલિ અપાઈ હતી જેમાં વાંકાનેરમાં પણ અલગ અલગ જગ્યાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પંચાયત ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી જેમાં સમસ્ત ગામ લોકો તેમજ પોલીસ જવાનો હાજર રહી વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.

વાંકાનેરના મિલકોલોની વિસ્તારના લોકોએ કેન્ડલ માર્ચ યોજી વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.

વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ શહીદોના ફંડ માટે રૂ.પાંચ લાખનો ફાળો એકત્રિત કરેલ.

વાંકાનેર જીનપરા વિસ્તારના ભાટિયા શેરીના લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી જેમાં એક વરરાજાએ પણ દાંડીયારાસ શરૂ કર્યા પહેલાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

- text

વાંકાનેરની લિટલ ટ્રી સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ શહીદ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

- text