મોરબી : સુવર્ણપ્રાશન કેમ્પમાં ભુલકાઓને ભેટ આપવામા આવી

- text


મોરબી : મોરબીમાં તારીખ ૧૭ને રવિવારે સોરઠીયા લુહારની વાડીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્વારા સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાયો હતો, જેમાં જન્મથી લઈને ૧૨ વર્ષ સુધીના કુલ ૯૦૦ જેટલા બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ બાદ ચોકલેટ, બિસ્કીટ, પેન, પેન્સિલ, કંપાસ, કીટ, વોટર બોટલ જેવી ભેટ પણ આપવામા આવી હતી. આ કેમ્પનું આયોજન રાજ ભૂપતભાઈ પરમારે કર્યું હતુ તથા દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર પરમાર પરિવારે સેવા આપી હતી. રાજના કહેવા પ્રમાણે આ કેમ્પનું આયોજન મોરબીમાં દર મહિને કરવામાં આવે છે, જેથી મોરબીના દરેક લોકોને આ કેમ્પનો લાભ મળી શકે.

- text

- text