મોરબી : શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બુધવારે દેશભક્તિ ગીતોનો જાહેર કાર્યક્રમ યોજાશે

- text


મોરબીનાં ઇન્ડિયન લાયન્સ ક્લબ તથા કલાકાર એસોસિએશનનાં સંયુક્ત ઉપક્રમે ભારતના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તારીખ ૨૦ને બુધવારે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

- text

આ કાર્યક્રમ બુધવારે સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી સરદાર બાગ પાસે, શનાળા રોડ ખાતે યોજાશે અને આ કાર્યક્રમ દ્વારા એકઠા થયેલા ફંડને શહીદોના પરિવારજનોને આપવામા આવશે. આ કાર્યક્રમમાં આવવા માટે પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ રવેશિયા, સેક્રેટરી ભાવેશભાઈ દોશી અને પ્રમુખ હર્ષદભાઈ ગામીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

- text