વાંકાનેરમાં ગુરૂવારે ઔદ્યોગિક ભરતી મેળો અને લઘુમતી ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પ

- text


વાંકાનેર: મોરબીની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૧ને ગુરુવારે બપોરે ૧ વાગ્યાથી મહંમદી લોકશાળા, ચંદ્રપૂર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક ભરતી મેળો અને રોજગારી કચેરી ખાતે લઘુમતી સમાજના ઉમેદવારો નામ નોંધણી કરાવી શકે તે માટે કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ જોબ ફેરમાં એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પસંદગી કરશે જેમાં એકમોની જરૂરિયાત મુજબ 9 પાસ, એ સ. એસ. સી., એચ. એસ. સી., સ્નાતક, આઈ. ટી. આઈ. ટ્રેડની લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે.

- text

આ ઉપરાંત રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવવા ઇચ્છુક લઘુમતી સમાજના ઉમેદવારોએ એસ. એસ. સી.(ઓછો અભ્યાસ હોય તો માર્કશીટ), એચ. એસ. સી., સ્નાતક, આઈ. ટી. આઈ., ડિપ્લોમા વગેરેની લાયકાત ધરાવતા પ્રમાણપત્રો, જાતીનો દાખલો(લાગુ પડતો હોય તો), વિકલાંગતાનો દાખલો(લાગુ પડતો હોય તો) વગેરેની અસલ તથા કોપી, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે પોતે ઉપસ્થિત રહેવાનો અનુરોધ રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા દ્વારા કરાયો છે.

- text